🙏🏻મહાવીરનો કર્મવાદ..
*આપણી સાવ નજીકની વ્યક્તિઓ જ આપણને વધું દુઃખ આપતી હોય છે.તેનું કારણ શું ? ને તે વખતે શું કરવું.!?*

જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ કે દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ *વ્યક્તિઓ આપણી સૌથી નજીક આવે છે,બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.* લેણદેણનાં સંબંધ વગર *કોઈની આંખો ય મળતી નથી.*
કોણ આપણાં મા-બાપ બનશે ?
કોણ સાથીદાર ?
કોણ ભાઈ બહેન ?
કોણ પુત્ર-પુત્રવધુ ?
કોણ દીકરી-જમાઈ ?
કોણ પાડોશી ?
કોણ સગાં-વ્હાલાં ?
આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં *પૂર્વ કૃત કર્મ પ્રમાણે* નક્કી થઈ જાય છે.

જ્યારે કોઈ આપણા જ નજીકની વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારાં સગાં બન્યાં છે તે પણ *મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે* તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે.તેનું કારણ *મારા જીવે પૂર્વજન્મે ક્યારેક એ જીવ સાથે વેર બાંધ્યું હશે.*
ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ હું ક્યાં જાણું છું કે *પૂર્વજન્મે મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે.?*
આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે.ત્યારે *હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું* તો જ આ વેરની ગાંઠ ભેદાશે *નહિ તો જન્મોજન્મ ચાલી આવશે.*
ના..ના *મહાવીરનો કર્મવાદ સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો.*
મને આ *દુઃખ સમતાભાવે વેઠવાની* હે પ્રભુ શક્તિ આપ શક્તિ આપ..
ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે.પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે.
આવે વખતે *૨ વસ્તુ ધ્યાનમાં રાખવી* રાગના સંબંધ ઉદયમાં હોય ત્યારે ખૂબ ખુશ ન થવું,અહંકાર ન કરવો રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા,નહીં તો રાગના કર્મોના ગુણાકાર થઈ જશે.
જ્યારે *દ્વેષના કર્મ ઉદયમાં હોય ત્યારે* અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું રોકકળ ન કરવી.*બંને સંબંધો સમતાભાવે વેઠવા* વિચારવું કે *રાગ પણ કાયમ રહેવાનો નથી દ્વેષ પણ કાયમ રહેવાનો નથી.*
કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોસો.?
દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિએ જ આમ કરાવ્યું એમ વિચારી કોઈના પણ પ્રત્યે *દ્વેષના સંસ્કાર નાખશો નહિ.* ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો *નિમિત્તને બચકાં ભરવા નહીં જતાં.*
મારાં નસીબમાં આમ બનવાનું જ હતું માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે *તે બધું જ સ્વીકાર હસતે મોઢે સ્વીકાર*

_આવી વખતે મહાપુરુષોના જીવનને યાદ કરવું._

ખુદ મહાવીર ભગવાનના *દીકરી જમાઈ જ તેમની વિરુદ્ધમાં હતાં* તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો.?
*જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત.!?*

તમારાં નજીકનાં સગાંને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે દૂરના ને તો શું પડી હોય.
*પાર્શ્વનાથ ભગવાન* ને એમના સગા ભાઈનો જીવ *૮-૮ ભવ સુધી તેમને મારવા વાળો બન્યો.*
ગાંધીજીને આખી દુનિયા માન આપે છે, તેમનો *ખુદનો દીકરો* જ તેમના વિરુદ્ધમાં હતો.
*ઈસુ ખ્રિસ્ત* ને ખીલા ઠોકવા વાળા એમના જ માણસો હતા.
*આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે* કસોટી તો સોનાની જ હોય પિત્તળ ની ન હોય.
અગર હું પિત્તળની કક્ષામાં છું તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું.
જો હું સોનાની કક્ષામાં છું તો *જાતને* ભગવાનને ભરોસે છોડી દેવી.

આ જીવ કરોડો વર્ષોના સંસ્કાર સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ તે *વ્યક્તિ* ઉપર કે *નિમિત્ત* ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય છતાં બને તેટલાં જલ્દી ભાનમાં આવી જઈ *હૃદય થી દુશ્મન ની પણ ક્ષમા માંગી લેવી.*

Gujarati Religious by Umakant : 111752850
Keyur Parmar Broadway 3 years ago

Khub khub aabhar 🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now