🙏એક અજ્ઞાત શેરથી પ્રેરીત થઈને મારી ગઝલ 🙏

પારકાં નૈ પણ પોતાના નડે ને ત્યારે દુઃખ થાય છે;
પાછાં એ મગર આંસુએ રડે ને ત્યારે દુઃખ થાય છે;

ઘસાતા રહ્યા હતા અમે જીવનભર જેમના માટે,
એજ સામે થઈ જંગે ચડે ને ત્યારે દુઃખ થાય છે;

એક હાકલ પર જેની હાજર થઈ જતા'તા અમે,
એમને જ સબંધ ન પરવડે ને ત્યારે દુઃખ થાય છે;

ભસવાવાળાનો તો મને કોઈ વાંધો નથી સાહેબ,
પણ જ્યારે પાળેલા કરડે ને ત્યારે દુઃખ થાય છે.. અજ્ઞાત

બધિરોની મહેફિલે બોલ્યું ક્યાં સંભળાય "વ્યોમ"
પણ સાંભળ્યું કાને ના ધરે ને ત્યારે દુઃખ થાય છે;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111750692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now