સમજણ પડે ક્યાં, શબ્દ ની ઠાકરી,
શાસ્ત્રો ભુલી ખોટો , ઠરે મન છાવરી.

કાયમ કરે છે તું ,ભૂલો મન માનતી,
થોડી સજા મળશે પછી થી આકરી.

અસ્તિત્વ ખોઈ ને ,જરા પામી જવું,
ઓળખ છતી થઇને, દશા છે બાવરી

ભેદો બધા પાડી ને ભ્રમણા માં જીવે,
છટકી જશે તારી, પછી જો ડાગરી.

પકવાન દુર્યોધન નાં જો પડ્યા રહે,
આનંદ ભાવે , કૃષ્ણ ને તો ભાખરી.

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111747610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now