જો ખરેખર કોઈ પોતે જાણે છે
સાચું સુખ જો ભીતર માણે છે.

ચાંચ ચૂગવા જો મળી છે એમને,
છે લખાતું ભાગ્ય એ જો દાણે છે.

કર્મ છે સાક્ષાત, દર્શન ફળ તણું,
ઊંઘ પ્હેલાં રોટલો જો ભાણે છે.

ઊડવા નું આસમાને પ્રતિ દિવસ,
મનનાં પંખી માળે સંધ્યા ટાણે છે.

ઊગવું ને આથમવુ ,પ્રાકૃતિક છે,
પ્રેમ માયિક ખેલ તો ખેચાણે છે.

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111741570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now