ગિરનારની ઊંચાઈ જેવડી ગૌરવપૂર્ણ ઓચ્છવ જેવી ઘડીનો ગર્વ એટલાં માટે અનુભવું છું કે, મહાદેવની મહેરબાનીથી મેરેથોન દોડ જેવાં મનોમંથનના વલોણાં પછી ચૂંટેલા,મમળાવેલા, મનગમતાં મૂળાક્ષરોના સંપુટના ત્રીજા પુસ્તકનું વિમોચન પણ મારી મમ્મીના હસ્તે થઇ રહ્યું છે.

‘શબદવિધિ’ નવલિકા સંગ્રહ.

અનેરા આનંદના અનુભૂતિનું અન્ય એક અનન્ય અદકેરું કારણ એ પણ છે કે,
પિતા તુલ્ય મારાં એકમાત્ર આદર્શ ગુરુ આદરણીય
શ્રી ભાનુલાલ મોહનલાલ લોકડિયા સાહેબને સહર્ષ વંદન સાથે ‘શબદવિધિ’ નવલિકાસંગ્રહ અર્પણ કરતાં વિશેષ લાગણીની અનુભૂતિ સાથે ગૌરવ અનુભવું છું.

વર્ષ ૨૦૨૧માં મારું ત્રીજું પુસ્તક
૧ જાન્યુઆરી ૨૦૨૧ પ્રથમ નવલકથા ‘ કલીનચીટ’
૧૯ જુલાઈ ૨૦૨૧ બીજી નવલકથા ‘કહીં આગ ન લગ જાયે’
૭ ઓગષ્ટ ૨૦૨૧ નવલિકા સંગ્રહ ‘શબદવિધિ’

આવતાં અઠવાડિયે આવી રહી છે, મારી પાંચમી નવલકથા ‘જીસ્મ કે લાખો રંગ’ ચોથા પુસ્તક સ્વરૂપે મારી મમ્મીના વરદહસ્તે.
મારા રાજીપા કરતાં મમ્મીની પ્રસન્નતાનું પલડું ભારે છે.

સાચું કહું તો, આ મૂળાક્ષરો નથી, મહાદેવના હસ્તાક્ષર છે.
ફરી એકવાર સેંકડો વાચકો, મિત્રો, સ્નેહી, સ્વજન અને શુભચિંતકોનો અંતઃકરણથી આભારી છું, અને રહીશ.
‘શોપિઝેન’ પબ્લિકેશનની પૂરી ટીમ અને શ્રી ઉમંગ ચાવડાનો ખુબ ખુબ આભાર.

-વિજય રાવલ

Gujarati Thank You by Vijay Raval : 111739880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now