અનુભૂતિ
========================
જીવ ને ત્રણ પ્રકારની અનુભૂતિ થાય છે
૧. પ્રત્યક્ષ ૨.પરોક્ષ ૩.અપરોક્ષ.
પ્રત્યક્ષ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ની ઈન્દ્રિયગત અનુભૂતિ, જે સુખદુઃખ આપે
પરોક્ષ અનુભૂતિ એ માનસિક બૌદ્ધિક ક્ષમતા
ની. વૈચારિક,તથા ભાવ ઊર્મિ ની અનુભૂતિ મન માં બુધ્ધિ માં થાય
અપરોક્ષ અનુભૂતિ ,એ ચૈતન્યમય અનુભૂતિ સ્વયં
આત્મચેતનાની અતિન્દ્રિય અનુભૂતિ છે.
આ અનુભૂતિ એ જ ખરી જ્ઞાન ની પ્રાપ્તિ છે.
ઈન્દ્રિયો ની પરોક્ષ અનુભૂતિ શાશ્વત નથી .
પરોક્ષ એટલે માનસિક બૌદ્ધિક ક્ષમતા પર શાશ્વત નથી. એ વસ્તુ પરિસ્થિતિ ને વ્યક્તિ પ્રમાણે બદલાય. પરંતુ અપરોક્ષ અનુભૂતિ શાશ્વત છે.નિરંતર આનંદ ની અનુભૂતિ છે.માટે જ્ઞાન સ્વરૂપ છે. જીવન નો શાશ્વત અનુભવ.
-મોહનભાઈ આનંદ