શ્રધ્ધા
ઉદર માં તો દિવસની વૃદ્ધિ થતી હોય,
ઘટવા નો ક્રમ તો જન્મ પછી શરૂ થાય.
અંહી તો મને ઉદરમાં જ દફનાવવાની વાત.
વાત સાંભળતાં જ મને તો ગભરાટ થઈ ગયો.
પરંતુ મને મારી મા પર શ્રધ્ધા હતી.
એ શ્રદ્ધાના જોરે જ હું શાંત થઈ ગઈ.
અંતે મારી મા પરની શ્રધ્ધા ફળિભૂત થઈ,
એક સુંદર સવારે હું માના ખોળા માં હતી.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલીમોરા્