સ્વીકાર્યું જેણે જીવનનું
અંતિમ સત્ય,
લાગે નહીં ક્યારેય ડર
એને અંતિમ ક્ષણનો!!!

કર્યા ન ક્યારેય જેણે
કોઈ ખોટા કામ,
બોલ્યા ન જે ક્યારેય
ખોટા વચન,
નથી ડરતાં એ બધાં
ક્યારેય કોઈ મુસીબતથી!!!

નથી ડર જેને મૃત્યુનો
છે વિશ્વાસ જેને પોતાનાં પર,
ક્યારેય ન ડરે કોઈથી ય
ભલે હોય ઉભા કોઈ
લઈને બંદૂક સામે!!!

છે જેને શ્રદ્ધા પોતાનાં ઈશ પર,
કરે છે ભક્તિ વિના કોઈ અપેક્ષા,
નથી રહેતી કોઈ આસક્તિ એનાં
જીવનમાં, નથી રહેતો ડર એને
જીવનની અંતિમ ક્ષણ કે મૃત્યુ
પછીનાં જીવનનો!!!!!
- સ્નેહલ જાની

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111704509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now