"મન ભરીને જીવી લો"
કોઈ વર્તમાનને રોકી લો,
આગળ શું થશે તેની ચિંતા છોડી દો,
હાલ છે શ્વાસની તંગી માટે દિલ ખોલીને જીવી લો;
શું તમારું હતું તેના હિસાબો છોડી દો,
કરેલા કર્મો અનુસાર ચાલવાનું શીખી લો,
કર્મોનું ફળ છે માટે કળિયુગને બદનામ કરવાનું છોડી દો;
કમાયેલ સંપતિ ગણવાનું મેલી દો,
કામ નથી આવતી સંપત તે ઊદાહરણ આજ જોઈ લો,
માનવજાત ભૂલી મર્યાદા માટે ભગવાનને વગોવવાનું છોડી દો;
આ તો સમજાવ્યું મારા હરીએ શાનમાં,
બાકી વિતેલા ત્રણ યુગો જોઈ લો,
ડરવાની વાત નથી એકવાર કરેલા કર્મો જોઈ લો,
જયુ કહે,કેટલી છે હવેની પળ કોઈ નથી જાણતું માટે મનભરીને જીવી લો!
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda