"ઓ કાના.....હલે આવ ને,
આવીને જો માસ્ક સાથે વાંસળી વગાડવું કેવું લાગે ,
આવીને જો ગોપીઓ સાથે સમૂહમાં રાસ રમવું કેવું લાગે,
રાધાને સેનેટાઈઝર સાથે છેડવું કેવું લાગે,
શ્વાસ વિહોણા વાતાવરણમાં ઓક્સિજન અને વેન્ટિલેટર કેવું લાગે,
આવીને જો મંદિરના બંધ બારણાં કેવા લાગે,
આવીને જો કોઈનો મીઠડો સભ્ય ખોવાનો આઘાત કેવો લાગે,
આવીને જો દર્દની દવા કરવામાં કેવો ડર લાગે,
આવીને જો જીવતાં તો ઠીક પણ મરીને અગ્નિ દાહમાં કેટલો સમય લલાગે
તું જ તારા સંસારનો રચિયતા છો તો આવને અનુભવ કરી લે તને કેવું લાગે,
મારે પણ તને પૂછવું કાના તને આ કોરોનાની મહામારી કેવી લાગે,
ઓ.....કાના હવે આવને,
આવીને જો માનવતા વિહોણી થતી નિરાધાર પૃથ્વી તને કેવી લાગે!"
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda