"કાળ ભરખવા તૈયાર છે,
મોતનો તાંડવ ચાલે છે,
કોણ કેટલું જીવશે તેનો હિસાબ ચાલે છે,
અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે,
જીંદગી પોતાનું ખતરનાક રૂપ લઈને ચાલી રહી છે,
શું કરવું કોઈને કંઈ જ ખબર નથી,
ટેક્નોલોજીની દુનિયા ટૂંકી પડી રહી છે,
જ્ઞાન-વિજ્ઞાન બધું જ હારી ગયું છે,
શું લાગે છે?શું થશે?ખબર છે?
જવાબ હશે ના પરંતુ એક શ્રધ્ધા અડગ છે,
ત્રિલોકનો નાથ જરૂર કંઈક રસ્તો કરશે,
કેમકે તેના સિવાય હવે કોઈ આ રોગનું નિવારણ નહિ કરે!"
-જય મોગલ
-જય માતાજી
-જયરાજસિંહ ચાવડા