ન બેસી રે ઓ માનવી
રાખીને ભરોસો માત્ર
હસ્તરેખા પર!!!
કર હિંમત એટલી કે
બદલે ભગવાન પણ
તારી હસ્તરેખાઓ
જોઈને તારો પરિશ્રમ!!!
બન તુ પોતે જ પોતાનો
ભાગ્યવિધાતા અને રચ
પોતે જ પોતાની હસ્તરેખા!!
કર પરિશ્રમ એટલો કે
જોનારા સૌ રહી જાય
અવાચક અને જુએ સૌ
પોતાની હસ્તરેખા કે કેમ
નથી એ આના જેવી???
- સ્નેહલ જાની