એક જ દે ચિનગારી
ન માત્ર કોઈ ઝગડા માટે કે
ન માત્ર બીજાને પરેશાન કરવા.
બન તુ એક જ ચિનગારી
કોઈનાં નિરાશાનાં સમયમાં
આશાનું કિરણ બનીને.
એક જ દે ચિનગારી તુ
હતાશ થયેલ જીવને
સાંત્વના આપવા.
એક જ દે ચિનગારી
દુઃખી ચહેરાને બનીને
એનું હાસ્ય.
ન બની શકે તુ કોઈનો
સહારો તો કંઈ નહીં
એક જ દે ચિનગારી
કે બને એ પોતે જ પોતાનો સહારો.
- સ્નેહલ જાની