એક જ દે ચિનગારી
ન માત્ર કોઈ ઝગડા માટે કે
ન માત્ર બીજાને પરેશાન કરવા.

બન તુ એક જ ચિનગારી
કોઈનાં નિરાશાનાં સમયમાં
આશાનું કિરણ બનીને.

એક જ દે ચિનગારી તુ
હતાશ થયેલ જીવને
સાંત્વના આપવા.

એક જ દે ચિનગારી
દુઃખી ચહેરાને બનીને
એનું હાસ્ય.

ન બની શકે તુ કોઈનો
સહારો તો કંઈ નહીં
એક જ દે ચિનગારી
કે બને એ પોતે જ પોતાનો સહારો.

- સ્નેહલ જાની

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111689575
Tr. Mrs. Snehal Jani 3 years ago

આભાર શેખરજી

shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now