જીના યહાં મરના યહાં...
જોકર મુવીના એક સોંગની આ લાઈન મને ખુબ ગમે છે.છે તો માત્ર બે લાઈન જ પણ એ બે લાઈન આપણને આખે આખી લાઈફ સમજાવી જાય છે.જન્મ પણ અહીં જ છે અને મૃત્યુ પણ અહીં જ છે.એ બન્નેની વચ્ચેની જે ક્ષણો છે એ જ મહત્વની છે.એ સમયને તમે કઈ રીતે જીવ્યા છો ?? બસ આ જ સવાલનો જવાબ જાતને પૂછી જુવો.બધા જ જવાબો મળવા લાગશે.
અમુક વાર જીવનને પણ થોડું પંપાળવું પડે છે.એને પણ થોડુંક વ્હાલ કરવું પડે છે.જાતને વ્હાલ કરવાની મજા જ અલગ હોય છે.બાકી તો જીવનમાત્ર બચપન,જવાની અને વૃદ્ધાવસ્થા જ છે. બસ ત્રણ તબક્કામાં જીવન ખલાસ.અસિમ રાંદેરી સાહેબ તો લખે પણ છે કે,“બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,, જીવન પણ છે કટકે કટકે.” ટુકડે ટુકડે વીતતા આ જીવનમાં કેટ કેટલાય અનુભવો મળે છે,દુઃખ મળે છે,સુખ મળે છે,આંસુ પણ મળે છે ને સાથે હાસ્ય પણ મળે છે.તમે શું શોધો છે એ મહત્વનું છે.આપણે જરૂર માત્ર જાતને થોડુંક વ્હાલ આપવાની જ હોય છે.
હું માનું છું ત્યાં સુધી રોજ જીવવા માટેનું સત્ય અહીં બસ એટલું જ છે કે, "મૃત્યું નિશ્ચિત જ છે." ક્યારે અને કેવી રીતે એ અહીં કોઈ જાણતું નથી.આપણા હાથમાં માત્ર એક જ તક છે અને એ છે, "જીવવું." મરતા પહેલા જીવાય એટલુ જીવવું .શ્વાસ એની જાતે ચાલશે અને સમય આવ્યે થંભી પણ જશે પણ કઈ રીતે જીવવું એ આપણા હાથની વાત છે.સુરેશ દલાલની એક રચના છે કે, "મરણ તો આવે ત્યારે વાત,અત્યારે જીવન સાથે ગમતી મુલાકાત"
મૃત્યુ એક પૂર્ણવિરામ સમાન છે.એ પહેલા માણસ ઘણા બધા અલ્પવિરામ,અને ઉદગારને જીવતો હોય છે.માણસ જન્મે છે ,જીવે છે અને મરે છે.જીવન તમારું છે તો એને કેમ જીવવું,એને કેમ અને કેટલો વ્હાલ કરવો છે એ હવે તમારે નક્કી કરવું પડશે. લેખક પી.કે.દાવડા લખે છે કે, "આ મળ્યું જીવન છે જેવું એને જીવી જાણો,અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો...”તો તૈયાર છો ને બધા જીવવા માટે...??
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :
ગમ ઔર ખુશી મેં ફર્ક ના મહેસુસ હો જહાં
મેં દિલ કો ઉસ મુકામ પે લાતા ચલા ગયા
મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા
હર ફિકર કો ધુયેં મેં ઉડાતા ચલા ગયા
- SHILPA PARMAR "SHILU"