આ ગીત,આ સંગીત,ને
સુરો નો,અનમોલ સંગમ છે,
શબ્દો નો સમન્વય ને, મારી રચના છે.
સુર ને તાલમા કયા કોઈ બંધન છે,
જોડે છે માણસને માણસથી એવો સબંધ છે,
લય એક હોય, તાલ એક હોય,
સાથે સુંદર શબ્દોથી, રચાયેલું કાવ્ય હોય,
ને મધુર અવાજ નો એક સુર હોય.
ને સ્વયમ નટરાજના,
ભવ્ય ત્રાડવ રૂપી પુષ્પોની સુગંધથી,
"સ્વયમભુ" દ્વારા બંધાયેલું,
એક પાત્ર અભિનય હોય,
ને સાથે સાથે મહાદેવ નો નાદ હોય,
મહાદેવ હર..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ