તમારા ભીતરની ભીનાશને હલબલાવી દે તેવી કોઈ અનહોની ઘટના ઘટી જાય, તમે સાવ અંદરથી તૂટી જાવ, સમયની દરેક સેકન્ડે એ ઘટેલી ઘટના જ તમારા મનોમસ્તિકમાં ચલચિત્ર ની માફક ફર્યા કરે, ઘટેલી ઘટનાને પરિવર્તિત કરવા માટે પણ તમારી પાસે કોઈ વિકલ્પ ના હોય ત્યારે અચૂક આપણે વેદનાનાં ભારથી ખળભળી જઈએ છીએ. પરંતુ તમારો સાચો કિરદાર આ ઘટના પછી તમે કેવા નિર્ણયો લો છો તેના પર છે. શું તમે જિંદગીભર આવી પડેલી વિપદામાં વિચલિત થયા કરશો કે પછી એ સંવેદનશીલ ઘટનાને ભૂલાવવા માટે ના પ્રયત્નો કરશો?
✍️પ્રેમ - આનંદ