હકીકત........... !
શેરડીનો સાંઠો વાંકો પણ રસ મીઠો હોય,
મંઝીલના રસ્તા વાંકા પણ મળ્યા પછી સ્વાદ મીઠો હોય !
ધનુષ્યની પણછ વાંકી પણ તીર સીધું જ જાય,
જીવનની દોરી વાંકી પણ મારગ સીધો હોય !
નદીનું વહેણ વાંકું પણ પાણી તો મીઠું જ હોય,
માનવનું મન વાંકું પણ ઈશ્વરનો સાથ મીઠો હોય !
આરતી ભાડેશીયા.