એ હસતા ચેહરાની પાછળ કેટલા દુઃખ એણે સહન કર્યા હશે ત્યારે એમણે હસતા હસતા વિદાય લીધી.ક્યારેક આપણા જીવનમાં બનેલી ઘટના વારમવાર યાદ આપાવે છે,દુઃખી કરે છે,અફસોસ થાય છે,જીવન જીવું ગમતું નથી,પણ અંતે ચલાવી લઇ છીએ અને રોજબરોજની જિંદગી શરૂ કરી દયે છીએ પણ આઇશા એ આવું પગલું શા માટે લીધું.

અમુક ઘટનાઓ એક અઠવાડિયા અથવા એક મહિનો યાદ કરીને આપણે ભૂલી જઇ છીએ,પણ આ ઘટના એમ ભુલાય તેમ નથી કેમ કે એ હસતા ચેહરા પાછળ દુઃખનો પહાડ લોકોએ ઉભો કરી દીધો હતો.આ તો ફક્ત એક ચહેરો છે પણ ભારત દેશમાં આવી હજારો લાખો બહેનો દહેજના કારણે હેરાન થાય છે.તેમને સતત ટોચર કર્યા કરે છે,અને તે સહન કર્યા કરે છે.

તે આ બધી વાતને સહન શા માટે કરે છે,કેમકે તે જાણે છે મારા માં-બાપની પરિસ્થિતિ કેવી છે,કેવી રીતે તેનું જીવન ગુજારે છે,કેવી રીતે તે જીવે છે,મને તેમણે કેવી રીતે રાખી છે.ઘરના પ્રસંગો આબરૂ ઇજ્જત માટે તે સહન કરતી રહે છે,તેને કયારેય માં-બાપ સામે હાથ લંબાવવા ગમતા નથી પણ આ સમાજ તેને સતત માં-બાપ સામે હાથ લંબાવવા ટોચર કરે છે.ઘણા લોકો કહે છે જિંદગી મસ્ત છે,એને તમે માણો પણ કેવી રીતે માણવી.ઘણા નકામા લોકો જીવા દેતા પણ નથી અને તે સારું જીવતા પણ નથી.

મને એ નથી સમજાતું અમુક ઘરમાં દેહેજના વાતની
સ્ત્રી જ પુરુષને સપોર્ટ કરે છે,જો સ્ત્રી જ આવી વાતને સપોર્ટ કરશે તો એ ઘર,સંબધ,પરિવાર,સમાજ
તૂટશે વેરભાવના વધશે,એકબીજા સામે બોલવાનું થશે,પણ જો તમે આવી કોઇ પ્રથા નહિ રાખો તો
ઘરમાં શાંતિ હંમેશા માટે રહેશે.

મને મહાભારતમાં કનિકના શબ્દો યાદ આવે છે તે કહે છે કે જે બાપના ઘરે કુંવારી દીકરી હોઈ તે બાપની નીંદ હરામ થઇ જાય છે,પણ અહીં તો લગ્ન પછી પણ તમે બાપની નિંદર ઉડાડી દયો છો.જે દીકરીને તેંના બાપે વાહલથી મોટી કરી,ભણાવી,તમારા ઘર પર અને તમારા છોકરા પર તેમણે ભરોસો કર્યો તેમની દીકરીને જ તમે મરવા માટે મજબૂર કરો છો,આવા લોકોને ઇશ્વર ક્યારેય માફ કરતો નથી અને કરશે પણ નહીં.

લિ.કલ્પેશ દિયોરા.

Gujarati Blog by kalpesh diyora : 111671834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now