મયખાનુ હું છું,ને ભીતર થોડી તો પ્યાસ છે,
છલકાય છે જો સુરાહી એમાં મય ખાસ છે;
મદહોશીમાં કોણ છે,એવી ખબર હોય ક્યાં,
રંગે નુરાની મહેફિલ , માણતો વાસ છે;
હું એટલે તો મટી, જતુ હોય છે જાણે કે,
ઝાકળ મળે સુર્ય ને , એવું અનાયાસ છે.
અંદર જરા ડોકિયું, થઇ જાય જો સ્હેજ માં,
સંકલ્પ નો જાણે થ્યો , સાચે જ સંન્યાસ છે.
ઉમ્મીદ ના ઘરને, સળગાવી ને આનંદ માં,
પ્રેમાળ રૂપે જ, ચેતન નો અહેસાસ છે.
-મોહનભાઈ આનંદ