ન હોય

ધીમું ધીમું બળશે પણ ખબર નહીં પડે,
આ હૃદય છે તેનો ધુમાડો ન હોય.

નક્કી મનના મકાનના ચણતરમાં આંસુ રેડાયા હશે,
બાકી હરખનું મકાન આટલું પાકું ન હોય.

અશ્રુઓ એકલતામાં સુકાઈ ગયા લાગે છે,
નહીં તો રાખની નીચે ધખધખતો અંગાર ન હોય.

જેને ટૂંટિયું વાળીને સૂવાની ટેવ હોય,
તેની ચાદર ક્યારેય ટૂંકી ન હોય.

નક્કી શબ્દો શાહીમાં ભીંજાયા નથી,
નહીં તો કાગળો આમ તેમ રઝળતા ન હોય.

નદી કિનારેથી તરસ્યા ફરનાર ને,
ઝાંઝવાના જળની આશ ના હોય.

ફૂંક મારવાથી ઓલવાઈ તે દીવો હોય,
સુગંધ ધરાવતી અગરબત્તી ના હોય.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111660403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now