આજે પૌષ શુક્લ ચતુર્દશી... નાથદ્વારા શ્રીજીબાવાને કટી સુધીના હલકા શૃંગારમાં પતંગી રંગના દરીયાઇ વસ્ત્રના સૂથન ચોલી ઘેરદાર વાગા મોજાજી તથા ઠાડે વસ્ત્રો ગુલાબી રંગના ધરાશે.શ્રી મસ્તક પર પતંગી રંગની મલમલની ગોળ પાગ પર સિરપેચ, મોતીની લુમ,ફિરોઝી દોહરા કતરા તથા ફિરોઝી રંગના શીશફુલ ધરાશે. આજે શ્રી ગોવર્ધનધરણ પ્રભને શીતકાલની વિવિધ દ્વાદશ ઘટા અંતર્ગત રૂપેરી નવમી ઘટા આવે છે.આજની પતંગી (ઘાટી ગુલાબી) ઘટા ધરાવવા આવે છે શીતકાલમાં વિવિધ રંગની જે ઘટા આવે છે તે ઘટાના દિવસે વસ્ત્રો, સાજ શૃંગાર એક જ રંગના ધરાવાય છે.છ ઘટા નિયમથી નિશ્ચિત દિવસે જ ધરાવાય છે અને છ રંગની ઘટા વસંત પંચમી પહેલા ખાલી દિવસોમાં આવે છે.ઘટાના દિવસે અન્ય દિવસની તુલનામાં સેવાક્રમ જલ્દી થાય છે.દ્રાદસ નિકુંજના ભાવથી ૧૨ ઘટા આવે.જે રંગની ઘટા હોય તે રંગની કુંજની ભાવના હોય છે.નિ.લી.તિ. શ્રી ગોવર્ધનલાલજી મહારાજશ્રીએ પ્રભુ સુખાર્થે આઠ ઘટા વધારી કુલ બાર ઘટા કરી હતી જે ક્રમ આજે પણ ચાલે છે.. આજના શ્રીજીબાવાના શૃંગાર દર્શન.. અનુ પ્રે ડો ભરતકુમાર.._*लगन मन लागी हो लागी।। कहा करेंगे लोग मेरो हों प्रीतम रसपागी।।१।। कछू न सुहाय जाय न कहू मन एसी बन आइ अनमागी।।अब धरियत चित आसपास*_