જ્યાં વિચારોની મોકળાશ હોય;
ત્યાં સદા ખુશીનો ઉજાસ હોય;

જો ના રાખીએ સંકુચિત આ મન,
તો જીવનમાં હમેશાં પ્રકાશ હોય;

જે તૈયાર છે સ્વીકારવા પરિવર્તન,
તેના જીવનમાં સદા વિકાસ હોય;

જે બેઠા રહે છે બનીને કુપમંડુક,
તેની જીંદગી ઉદાસ ઉદાસ હોય;

માટે જો વિચારો મૂકીએ મોકળા,
તો જીવનમાં સદા હળવાશ હોય;

-ANAND SAMANI

Gujarati Good Night by ANAND SAMANI : 111649041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now