છે અનંત આ મનની ઊંડાઈ,
જાણે ભાસે એ અનંત આકાશ!
ક્યારેક વિચારે ખુશીની પળો,
ક્યારેક યાદ કરે દુઃખના દિવસો!
ક્યારેક મન થાકી જાય,
ક્યારેક મન હારી જાય,
છે અનંત મનની શક્તિઓ,
જો ઓળખો તો ધન્ય છો,
નહીં તો આવેલી તક પણ ગુમાવશો.
ન લેશો પોતાનાં મનની શક્તિઓને
હળવાશથી, છે એ એટલી અનંત કે
ન કોઈ આવશે મુસીબત,
કે ન કોઈ તકલીફ.
ધ્યાન રાખવું એક જ બાબત,
ન પહોંચાડો કોઈ નકારાત્મકતા
આ અનંત મન સુધી,
એ તો છે તમામ શક્તિઓનો ભંડાર.
- સ્નેહલ જાની