જરા તો તમે દિલને પામી રહો ને;
કસમ છે જરા દિલ, થામી રહો ને;

ચટાકો જ મનને, બહિર્મુખી વૃત્તિમાં,
મનન અંતરંગી એ, જામી રહો ને;

કરો છો વકીલાત, દુનિયામાં સદાએ,
ખૂદીને જ ખૂંદો , દિલ ઠાની રહો ને,

ભીની છે જ ભાવે, રુહાની અમાનત,
મનાવે જો મન તો , અમાની રહો ને;

હા આનંદ રૂપ છે ,અનુરાગી સદાયે,
તે ચિંતન કરીને , દિલ ગામી રહો ને;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111645875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now