જરા તો તમે દિલને પામી રહો ને;
કસમ છે જરા દિલ, થામી રહો ને;
ચટાકો જ મનને, બહિર્મુખી વૃત્તિમાં,
મનન અંતરંગી એ, જામી રહો ને;
કરો છો વકીલાત, દુનિયામાં સદાએ,
ખૂદીને જ ખૂંદો , દિલ ઠાની રહો ને,
ભીની છે જ ભાવે, રુહાની અમાનત,
મનાવે જો મન તો , અમાની રહો ને;
હા આનંદ રૂપ છે ,અનુરાગી સદાયે,
તે ચિંતન કરીને , દિલ ગામી રહો ને;
-મોહનભાઈ આનંદ