કલ્યાણ સાહેબ ની વાણી
☝🏻☝🏻☝🏻☝🏻☝🏻☝🏻

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
ગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લે ને બંદગી ;

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…


કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાના ;
મૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…


શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરી ;
સૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…


એક દિન મરના હૈ‚ ધોખા નવ ધરના ;
મુખમેં રામનામ કેમ ભૂલાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…


કહે છે કલ્યાણ’સાબ‚ સતગુરુ શરણે‚
આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

🙏🙏🧎🏻🧎🏻🧎🏻🙏🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111645555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now