મનની વાત મેં લખી કવિતાઓમાં,
ઢાળી મેં લાગણીઓને શબ્દોમાં.

શીખવ્યું કાવ્ય રચતાં કોરોનાએ,
ખીલવ્યું અસ્તિત્વ લોકડાઉનએ.

પૂછે બધાં ક્યાંથી સુઝે છે શબ્દોની ગોઠવણ?,
જવાબ મારો એક જ મને પણ નથી ખબર!

બસ મનની વાત ને શબ્દોમાં લખું છું,
પોતાનાં જ મનથી કવિતા રચું છું.

આભાર માતૃભારતીનો જેણે તક મને આપી,
આંકડાથી રમનારી પાસે કવિતા રચાવી.

©✍️ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Thank You by Khyati Soni ladu : 111636168

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now