હું અને મારા વિચાર
............................................................
છૂટાછેડા અને સંતાનોનું ભવિષ્ય.°°

*છૂટાછેડા આજકાલ પાયજામાના નાળા છોડવા જેટલુ સહજ થવા માંડ્યુ!*
કારણ વગર અથવા બિલકુલ સુલજાવી શકાય એવી પરિસ્થિતિમા વડીલોની અનઆવડત અને "ઈગો"થી અલગ થઈ જવું એ ફેશન થઈ ગઈ!
મને ઘણીવખત લાગે કે-આજના યુવાનોને ક્યારે,કોની સાથે જોડાવું, પછી કદી છુટા નહિ પડવાની સમજ નથી.
ભણતર,મા-બાપનો બાળકોના અપરિપકવ નિર્ણયો પર ભરોસો અને સમાજથી બેપરવાહ થઈ જીવવાની પધ્ધતિથી લગ્ન ઍ "સેક્સ માટેનું લાઇસન્સ" માત્ર થઈ રહ્યુ!
અમુક કિસ્સામાં બધી કાળજીઓ પછી પણ સામાજીક સમસ્યા આવૅ છૅ. ત્યારે જોડાણના અથાગ પ્રયત્ન પછી છુટા પડવાના નિર્ણયો દુખદ અનિવાર્યતા થઈ પડે.
પતિ-પત્નિ ના કંકાસ અને "ઈગો"મા મા-બાપ બની લાવી પડેલા બાળકોનું શુ?
એમના જીવનનું શુ?
એમના ભવિષ્યનું શુ?
પતિ-પત્નિની ઐયાશી અને બેજવાબદારી છુટા છેદામા પરિણમે ત્યારે ઍ નિર્દોષ બાળકનું શુ?
એના ભવિષ્યનું શુ?
એક પરિવાર,કોર્ટ રૂમ થઈ જાય અને કોર્ટ બાળકની જરૂરિયાત મુજબ એનો નિર્ણય કરે.
ભરણપોષણ માટે સક્ષમ હોવુ જ યથાર્થ છૅ?
લાગણીનો મુદ્દો ધ્યાનમાં નહિ લેવાનો?
એ કામ કોર્ટનું નથી.પણ બાળકોને એમની મરજી વિરુધ્ધ કામેચ્છાથી ઘસડી લાવેલા માબાપનું છૅ.
આવા કિસ્સાઓથી લગ્નવ્યવસ્થા પરનો વિશ્વાસ ઉઠી રહ્યો છૅ.પરિવારની ભાવના અને મહત્વ તુટી રહ્યા છૅ. *પતિપત્ની તરીકે ગમે તેટલા મતભેદ કે મનભેદ હોય,પણ માબાપ તો એકમત જ હોવુ જોઈઍ!*
મને હંમેશા એવો વિચાર આવે કે પહેલાના સમયમાં સ્ત્રી 'અભણ' હતી એટલે પતિનો માર સુદ્ધા ખાઈ લેતી?શુ ઍ ડફોળ હતી?
અસમર્થ હતી છૂટા થવા માટે?
કદાચ ના!
એ ખૂબ સભાન હતી.
એના બાળકો તરફની જવાબદારી પ્રત્યે!
ઍ લાગણીશીલ હતી.
શું એવો કોઈ કાયદો કે સામાજીક વ્યવસ્થા અમલમાં નહિ આવી શકે?

*જ્યાં સુધી મા-બાપ બાળકને પરણાવી નહિ દે ત્યાં સુધી પતિપત્ની તરીકે છૂટાછેડા નહિ લઈ શકે!?*

છેલ્લે......

હુ એવા વ્યક્તિ ને ઓળખું છુ જેના બિલકુલ અલ્પ આયુષ્યવાળા લવ મરેજના છુટાછેડા માટે *છોકરી* ૧.૫કરોડ માંગે છૅ!
*દહેજ ને દૂષણ કહેવાય; ને છુટાછેડા માટે માંગણી ઍ હક્ક!*
□□
પાઘડી નો વળ છેડે
*છૂટાછેડા પતિ-પત્નીના થાય મા-બાપના નહીં!*

🙏🙏🙏🙏🙏🙏

*વિપુલ પટેલ 007*

Gujarati Blog by Vipul Patel : 111626661

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now