મારું જીવન તો વેરાન વગડો હતું.તેમાં મેં આપ સૌ મિત્રોનું શબ્દના વાવેતર કરી એની સંભાળ
લઇ શબ્દોના છોડને વટવૃક્ષનું વન બનાવેલું જોયું.આ
જોઇ મને પણ મારા જીવનની પડતર જમીનમાં શબ્દોના વાવેતર કરવાની ઇચ્છા થઇ,અને મેં શબ્દો
ઉગાડવાની કોશિશ કરી તેમાં આપ સૌએ મને મારો
છોડ વટવૃક્ષ બને તેનું શબ્દો રૂપી પ્રોત્સાહન આપ્યું,જેના થકી મારા શબ્દોના વાવેતરનો બાગ બન્યો.આમ જ જો આપ સર્વનો સાથ રહ્યો તો મારા
શબ્દોનો બનેલો બાગ એક દિવસ લીલી વનરાજીમાં
જરૂરથી પરિવર્તન પામશે.