મોકળાશ શબ્દ સાંભળીને  પહેલો વિચાર આવે કે દરેક વ્યક્તિને જીવનમાં જેટલી મોકળાશથી જીવવું હોય છે એટલી મોકળાશ એને  ક્યારેય પણ મળે છે???

        આપણે આપણા માટે વિચારીએ તો આપણે આપણા જીવનમાં મોકળાશ જોઈએ છે પણ જયારે આપણી સાથે કોઈપણ સંબંધમાં જોડાયેલી વ્યક્તિ હોય એ થોડી પણ મોકળાશ શોધે કે ખુલીને જીવે તો આપણે કયારેય ચલાવી શકીએ છે???  આપણે તરત જ એને પરંપરાઓ અને રીતિરિવાજોમાં બાંધી દઈએ છે.

      આપણે જે રીતે જીવ્યા અન્ય પણ એમ જ જીવે એ જરૂરી નથી કોઈને તો મોકળાશથી જીવવા દો. હા!!! એને ભાન કરવો કે તારા માટે શું સારું અને શું ખરાબ છે.

       આપણે પણ એવા સંબંધો જ ઇચ્છિએ છે જેમાં આપણે મોકળાશથી જીવી શકીએ. કોઈ અકળામણ ન હોય સંબંધનો કોઈ ભાર ન હોય. આ વાત દરેક વ્યક્તિ નથી સમજતી. ક્યારેક તો લાગે કે કેટલાક સંબંધો જાણે બંધન જ છે.

       આપણું જીવન જીવવા માટે આપણે મોકળાશ શોધવી પડે. ખાસ કરીને  સ્ત્રીઓને પોતાના મનની વાત કહેવા માટે કે પછી  કોઈપણ બાબતમાં પોતાનો પક્ષ જણાવવાની મોકળાશ રેહતી નથી. ઘણાં અપવાદરૂપ લોકો આ વાત સમજે પણ છે.

       જો વ્યક્તિ મોકળાશથી પોતાના મનની વાત રજૂ કરી શકે તો એનું દુઃખ અને તણાવ બંને ઓછા થઈ જાય પણ એને અંદરથી ડર હોય છે કે હું આને આ વાત જણાવીશ તો આ સ્વીકારી નહીં શકે કે મને નહીં સમજી શકે માટે એ કંઈપણ કહી ન શકે. જો આપણને આવો સંબંધ મળ્યો હોય જ્યાં આપણે મોકળાશથી કોઈપણ વાત કરી શકીએ તો એને સાચવી રાખજો, માન આપજો આવા સંબંધ કે મિત્ર મળે એના જીવનમાં તણાવ કે તકલીફ ઝાઝું ટકે જ નહીં.

       આપણને મોકળાશ ક્યાં મળે છે કેવા વાતાવરણમાં કે કેવી જગ્યાએ કે પછી કઇ વ્યક્તિ સાથે એ આપણે સમજી જઈએ તો જીવનમાં  ક્યારેય એકલું લાગે નહીં.

        કોઈને પ્રાકૃતિક વાતાવરણમાં તો કોઈને ઘરમાં થોડું એકાંતમાં રહેવામાં અને કયારેક કોઈ મિત્ર સાથે વાત કરીને પણ મોકળાશનો એહસાસ થાય. 

        અત્યારના વ્યસ્ત જીવનમાં આપણે આપણાં મનને પણ મોકળાશ આપવાનું ભૂલી ગયા છે. આપણે શાંતિથી સમય લઈને કે મુક્ત મનથી વિચારતા જ નથી.

    મોકળાશ એટલે મુક્ત વિહાર કરતા હોઈએ  કે કોઈ બંધન ન હોય એવું લાગે એ મોકળાશ. એ મળે છે ખરી???

     
                                         .....✍......  ઉર્વશી.

Gujarati Blog by Urvashi : 111623020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now