આપણી રચનાઓ વિનામૂલ્યે પ્રકાશિત કરી જાહેરાતનો સારો એવો ધંધો કરાવતા હોઈએ. આપણા જેવા જ અનેક લેખકો દ્વારા લખાયેલી અદભુત રચનાઓથી સફળતાની સીડી ચડેલ પ્લેટફોર્મ કે એપ જો તમારી પાસે જ subscription ના પૈસા માંગે તો શું તમને દુઃખ ન લાગે?
250 થી વધારે બાઇટ્સ, 110 થી વધારે વાર્તાઓનું કલેક્શન વિનામુલ્યે તમે અર્પણ કર્યું હોય ફક્ત રાઇટ્સ તમારા રહે અને એને ડીલીટ કરવાના પણ એક્સેસ ન મળે તો શું તમને દુઃખ ન લાગે?
જો તમને પણ મારી જેમ આવા જ સવાલો હોય તો સમય છે Matrubharti ને લેખકો અને રચિયતાઓના મનની વાત કહેવાનો. આમાંથી ઘણાય મારી જેમ ત્રણ-ત્રણ વર્ષથી માતૃભારતી સાથે જોડાયેલા હશે અને આવેલા આ સબસક્રીપ્શનના મુદ્દાથી દુઃખી થયા હશે. એક સો ઉપર વાર્તાઓ લખ્યા પછી પણ આજે લખવા માટે પૈસા ભરવા પડે એવી પરિસ્થિતિમાં ઘણાં ઉભા હશે. તો શું આપણે અહીં લખીએ અને સબસક્રીપ્શન ન ભરીએ તો આપણે લખવાના હકને પાત્ર હોવા જોઈએ કે નહીં?
તમારા જવાબો મને કૉમેન્ટમાં લખીને મોકલો અને આજીજી કરું છું માતૃભારતીને કે જે લોકોની ઓલરેડી 50 થી વધારે વાર્તાઓ છે એમને ફ્રી સબસક્રીપ્શન આપો અને જો કોન્ટેન્ટ કોલીટી વાળો ન મળતો હોય તો સુધારા માટે રિજેક્ટના ઓપ્શન રાખો. 🙏🙏🙏
--
એક લેખકના મનની વાત