*ફ્રી છો તો શાંતિથી વાંચજો*
*સુંદર ૧૧ વાતો સમજવા જેવી*
૧) *ભગવાન* કયારેય *ભાગ્ય* નથી લખતાં , *જીવન* ના દરેક *ડગલાં* પર આપણો *વિચાર* , આપણો *વ્યવહાર*, આપણુ *કર્મ* જ આપણુ *ભાગ્ય* લખે છે.
૨) પહેલાં ના *લોકો* *લોટ* જેવા હતા , *લાગણી* નુ *પાણી* નાંખી એ તો *ભેગા થઈ ને બંધાઈ જતાં* ,
આજે
*લોકો* *રેતી* જેવાં છે, ગમે તેટલું *લાગણી* નુ *પાણી* નાખો તો પણ *છૂટા ને છૂટા*.
૩) *નીતિ* સાચી હશે તો *નસીબ* કયારે પણ *ખરાબ* નહીં થાય ,
*બીજો માણસ* આપણા મા *વિશ્વાસ* મૂકે એ જ *આપણા જીવનની સૌથી મોટી સફળતા છે*.
૪) *દુ:ખ ભોગવનાર* વ્યક્તિ આગળ જઈને કદાચ *સુખી* થઈ શકે છે , પરંતુ *દુઃખ આપનાર* વ્યક્તિ આગળ જઈને કયારેય *સુખી* થતો નથી.
૫) *માણસાઈ દિલમાં* હોય છે , *હેસિયત* માં નહીં,
*ઉપરવાળો* માત્ર *કર્મો* જ જુએ છે , *વસિયત નહીં*.
૬) તમે ગમે તેટલા *શતરંજ ના મોટા ખેલાડી* હો , પરંતુ *સરળ વ્યક્તિ* સાથે કરેલ *કપટ* તમારી *બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે*
૭) *પ્રાણ* ગયા પછી *શરીર* *સ્મશાન* માં બળે છે.
અને *સંબંધો* માંથી *પ્રેમ* ગયા પછી *માણસ* *મનોમન* બળે છે.
૮) *જીવન* માં *સ્વાર્થ* પુરો થઈ ગયા પછી ,
અને
*શરીર* માંથી *શ્વાસ* છુટી ગયાં પછી
*કોઈ કોઈ* ની *રાહ* જોતું નથી.
૯) જે જોઈએ તે *મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે*,
પણ જે મળ્યું હોય એમાં *હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે*.
૧૦) *ઈશ્વર* જયારે *આપે* છે ત્યારે *સારું આપે* છે ,
*નથી આપતો* ત્યારે વધું *સારું મેળવવા* નો *રસ્તો આપે* છે , પણ જયારે *રાહ જોવડાવે* છે ત્યારે તો સૌથી *ઉત્તમ ફળ જ આપે* છે.

૧૧) *આ ચરણ* તો માત્ર
*મંદિર* સુધી જ લઈ જઈ શકે ,
*આચરણ* તો *પરમાત્મા* સુધી લઈ જઈ શકે.

Gujarati Religious by RajniKant H.Joshi : 111618388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now