કાચબાવાળી વીંટી ધારણ કરવાથી શું થાય ફાયદાઓ, જાણો છો?

ઘણાં લોકોના હાથમાં તમે નવ રત્નની વીંટી પહેરેલી જોઈ હશે. જ્યોતિષશાસ્ત્રની સલાહથી કેટલાક લોકો હાથમાં રત્નોની વીંટી, ગળામાં પેન્ડલ અથવા બ્રેસલેટમાં રત્નો પહેરે છે. આ રત્નો અલગ અલગ રંગના હોય છે. તેને પહેરવા પાછળ કારણ પણ અલગ હોય છે. આપણે ઘણાં લોકોના હાથમાં કાચબાવાળી વીંટી પહેરેલી જોઇ હશે. તે વીંટી જોઇને વિચાર પણ આવે કે આ વીંટી પહેરવાનું મૂળ કારણ શું છે ? ઘણાં લોકો તો દેખાદેખી અને અમુક લોકો તો શોખથી તો અમુક લોકો જ્યોતિષશાસ્ત્રમાં માનનારા લોકો તો જ્યોતિષીના સૂચનથી આજ્ઞાથી કાચબાવાળી વીંટી ધારણ કરે છે. તો આવો કાચબાવાળી ધારણ કરવાના ફાયદા શું છે ? તેના વિશે માહિતી મેળવીએ.
પૌરાણિક કથા

શાસ્ત્રો અનુસાર કાચબો પાણીમાં રહે છે. જે સકારાત્મતા અને ઉન્નતિનું પ્રતિક ગણવામાં આવે છે. આ કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર કાચબો સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયો અને સાથે દેવી લક્ષ્મી પણ ત્યાંથી આવ્યાં હતા. તેથી એવી પણ માન્યતા છે કે કાચબો ધારણ કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ શુભ છે આ વીટીં
કાચબાને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આ વીટીને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આ વીટીં વ્યક્તિના જીવનમાં અનેક દોષોને શાંત કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તમારા આત્મ વિશ્વાસમાં વધારો કરવાનું કામ કરે છે.
સમૃદ્ધિનું પ્રતિક છે કાચબો
વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં કાચબાને વધારે મહત્વ આપવામાં આવે છે. કારણ કે કાચબાને દેવી લક્ષ્મી સાથે જોડીને ધન લાભ વધારનારો માનવામાં આવે છે.આ ઉપરાંત આ જીવ ધૈર્ય, શાંતિ, નિરંતરતા અને સમૃદ્ધિનું પ્રતિક છે.

કાચબાની વીંટી ધારણ કરવા મા ટેનો શુભ દિવસ

હાથની મધ્યમ અથવા તર્જની આંગળીમાં કાચબાવાળી વીંટી ધારણ કરવી. કાચબાને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે, એટલા માટે કાચબાવાળી વીંટી પહેરવા માટે શુક્રવાર શુભ દિવસ છે. શુક્રવારે આ વીંટીને માતા લક્ષ્મીજીના મૂર્તિ અથવા તસ્વીર સામે સમય સુધી રાખી મૂકો. ત્યાર બાદ તેને દૂધ અને પાણીના મિશ્રણથી વીંટીને સાફ કરો. હવે વીટીને અગરબત્તી કરીને વીંટી પહેરી લો. જો શક્ય હોય તો લક્ષ્મીજીનો પાઠ કે બીજ મંત્રો કરીને વીંટી ધારણ કરો.

વીંટી કેવી રીતે પહેરવી ?

જ્યારે પણ વીટીંની પસંદગી કરો ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ વીંટી પહેરો ત્યારે કાચબાના માથાનો ભાગ વીટીં ધારણ કરનાર જાતક તરફ રહેલો હોવો જોઇએ. કાચબાનું મોં બહારની તરફ હશે તો તેનો પ્રભાવ ઊંધો પડશે અને લક્ષ્મી આવવાને બદલે જતી રહેશે. તેથી ધારણ કરનાર જાતકે કાચબાનું મોં પોતાની તરફ રહે તે રીતે વીંટી ધારણ કરવી.

ધ્યાનમાં રાખવાની બાબત

વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાવાળી વીંટી સામાન્ય રીતે ચાંદીમાં બનેલી હોવી જોઇએ. જો તમે અન્ય કોઇ ધાતુનો પ્રયોગ કરવા માંગો છો ? તો સોનુ અથવા અન્ય કોઇ રત્નને કાચબાના આકારમાં ચાંદીમાં બનાવીને તેની ઉપર સોનાની ડિઝાઇન બનાવીને પહેરી શકો છો.
કાચબાવાળી વીંટી ધારણ કર્યા બાદ અઠવાડિયા કે પંદર દિવસ સુધી જુઓ જો તમને કોઇ ગેરલાભ થાય તો તેને ધારણ કરવાનું ટાળો. આ ઉપરાંત જાણકારની સલાહ લઇને ધારણ કરો તે વધુ હિતાવહ રહેશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111616190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now