બટુકેશ્વર દત જન્મજયંતિ પર કોટિ કોટિ નમન.
ભારતીય સ્વતંત્રતાની લડાઇમાં કેટલા લોકો આઝાદી માટે બલિદાનો આપ્યા.છતાં પણ આપણે કયારે પણ તેઓને યાદ કરવાની પણ તસ્દી નથી લેતા.
કાંતિકારી ચળવળોમાં ભગતસિંહ , ચંદશેખર આઝાદ ના વિચારો થી પ્રેરાઇ ને તેઓની સાથે જોડાઇને .દેશની આઝાદી માટે માટે ચળવળોમાં ભાગ લીધો.હોશ હોશ થી કાંતિકારી પ્રવૃતિઓ કરતા અને લોકોને જોડતા હતા.બટુકેશ્વર દત ભગતસિંહને લીધે વધુ પ્રખ્યાત બન્યા.
ભગતસિંહ સાથે એસેમ્બલીમાં બોમ્બ ધડાકા કરવામાં બટુકેશ્વર દત સાથે હતા.ત્યાર બાદ તેઓની ધરપકડ કરવામાં આવી હતી.તેઓ પર કેસ ચાલ્યો.આજીવન કારાવસ ની જેલ થઇ.પરંતુ તેઓ ક્ષયના રોગી બનતા તેઓને છોડી નાખવામાં આવ્યા.ત્યાર બાદ ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો.લાંબી માંદગી ના લીધે તેઓ મૃત્યુ પામ્યાં.તેઓના આઝાદીની લડાઇમાં આપેલ બલિદાન કયારે ભુલી શકાય નહી.
જય હિંદ
ભારત માતા કી જય
રવિ પંડયા