માણસે ધનનો અંહકાર કે ધર્મનો આડંબર ક્યારેય ના કરવો જોઈએ.અને એવા ભ્રમમાં પણ ના રહેવું જોઇએ કે પોતાની પાસે ધન હોવાથી કે તે ધર્મને સમર્પિત હોવાથી દુનિયાની નજરે બહુ જ સારો માણસ છે. કેમકે આ બધાથી તે ધનવાન કે ધાર્મિક માણસ જરૂર કહેવાશે પણ તે સારો માણસ ત્યારે કહેવાશે જ્યારે તેનામાં માણસાઈ હશે.માટે પહેલાં માણસ બનો પછી ધનવાન કે ધાર્મિક બનો.