ક્યાક સળગે છે લાગણી તણો પ્રેમ, આજ સુધી
ક્યાક સળગે છે અવિશ્વાસ ની આગ..આજ સુધી
વેદનાના સમુંદર નો વલોપાત તો જો,
ઉછળતા લાગણીઓના મોજાનું તુફાન દિલ માં કેવું આગ ઓકે છે.. આજ સુધી
હતો મારો પડછાયો જે આજ સુધી,
એજ મારો પરછાયો બની બેઠો છે..આજ સુધી
ક્યાક ઓછાયો તેનો મને વર્તાય છે આજ સુધી
જેનો છાયો બની ને રહ્યો હતો હું..આજ સુધી
ઊડી ગયા લાગણી ના ફૂલ વસંત ના વાયરા માં,
જેને પાનખર ની મૌસમ પણ તોડી ના સકી..આજ સુધી
"સ્વયમભુ" આ પ્રેમ ની મૌસમ પણ ઘણી અદભુત છે,
ક્યાક સળગે છે લાગણી તણો પ્રેમ, તો
ક્યાક સળગે છે અવિશ્વાસ ની આગ..આજ સુધી
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"