સુધામૃત
=================================
શરદ પૂનમની રાત્રે સોળે શણગાર સજીને ગરબે ધૂમવા જતાં પહેલાં ઝરુખામાં આવી પૂર્ણ ખીલેલા ચંદ્રને જોતા શશાંકને સુધાએ જોયો ને જાણે તે શશાંક તરફ ખેંચાઈ જ આવી!
"અરે વાહ! શું ચાંદ ખીલ્યો છે!" - સુધાથી જાણે છલકાઇ જ જવાયું.
"હા,જોને ... ક્યારનો હું ય રાહ જોતો હતો."
"શું ?" - સુધાએ સાંભળ્યું છતાં સમજાયું નહીં.
"કંઈ નહિં ; એ તો એમ કહેતો'તો કે આજે શરદ પૂનમ શોળે કળાએ ખીલી છે..." - ને બસ, પછી શશાંક ચંદ્રની ચાંદનીમાં ઓળઘોળ થઈ ગયો.
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.