#નવરાત્રિ
રાવણ દહન ...
જીવતો રાખી અંદર નો રાવણ
જગ કરે દશેરા એ રાવણદહન
કહે રાવણ હક નથી મારા દહન નો
જો છુપાવ્યો હોય અંદર એક રાવણ
જોવા મળે દરેક મા અલગ સ્વરૂપે રાવણ
દરેક મા છુપાઈ બેઠો છે એક રાવણ
બહારના રાવણનો વધ કરવા મળી રહેશે રામ
અંદર છુપાયેલા રાવણનો કોણ કરશે વધ ??
કરીએ વીનાશ અભિમાન,કામ ક્રોધ,
મોહ માયા, સ્વાર્થવૃત્તિ રૂપી રાવણ નો
કરીએ દહન આળસ, અંધશ્રદ્ધા, કપટ,
ઈર્ષા લાલચ રૂપી રાવણ નું
કરીએ ખુદ ના રાવણ નું દહન
તો દરરોજ દશેરા ઉજવાય અહીં...
હિરેન વોરા
તા. 25/10/2020