નીકળી પડ્યા.
મૃગ - તૃષ્ણા સંતોષવા માટે,
જળ ને શોધવા રણ નીકળી પડ્યા.
શારડીમાં વહોરાવવા માટે,
ઈચ્છાઓના ધણ નીકળી પડ્યા.
લખાયું છે લલાટે તે અફર નથી છતાં
તર્ક-વિતર્ક ની દુનિયા માં વિચારો નીકળી પડ્યા.
કર્મના રહેઠાણમાં રેડ પાડી તો,
પુણ્ય પાછળ પાપ ના ઘડા નીકળી પડ્યા.
ઉપરનું પહેરણ તો ધોઈને સાફ રાખ્યું,
અંદર મેલના થર નીકળી પડ્યા.
સાંજ પડ્યે સાથ છોડયો સહુએ,
પડછાયા પણ ઘેર જવા નીકળી પડ્યા.
ઉર્વશી એચ ત્રિવેદી