જાય છે

સત્ય સર્જરી જેવું હોય છે
થોડા દર્દ પછી રાહત થઈ જાય છે.

જૂઠાણું પેઇનકિલર જેવું હોય છે
થોડી રાહત પછી આડઅસર રહી જાય છે.

કસોટીઓ આવે જીવનમાં ત્યારે
સંબંધોની ઊંડાઇ ની પરખ થઇ જાય છે.

પ્રયત્નો કરી ઝાંપો ખોલી નાખીએ તો
દ્વાર સુધી ભાગ્ય આપોઆપ પહોંચી જાય છે.

વાણી અને વર્તન કાબૂમાં ન રાખીએ તો
તેની ફાસ ઊંડે સુધી ખૂંપી જાય છે.

ઝાડ ની ડાળી ઘરના મોભ ને આંબવા માંડે તો
કુહાડીના ઘાથી વધેરાઈ જાય છે.
ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111595737

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now