મરીઝ ની પુણ્યતિથિ નિમિતે શત શત વંદન

ગુજરાતના ગાલિબ તરીકે પ્રસિદ્રિ મેળવનાર નામ એટલે મરીઝ.મરીઝ જીવનમાં અનેક સંધર્ષો કર્યા.તેઓ માત્ર બે ધોરણ ભણ્યા છે , છતાં આટલી બધી પ્રસિદ્રિ મેળવી શકયા.નાની જ ઉંમરે તેઓ ગઝલો લખવાની ચાલુ કરી હતી.ગઝલોમાં પ્રેમની વાતો એ લોકોના મનને પ્રભાવિત કરી ગઇ.લોકોએ તેમની ગઝલોને વધાવી લીધી.ખુબ જ મોટી લોકચાહના ધરાવનાર મરીઝ.મરીઝની ગઝલો જો ના મળી હોય તો જીવનમાં ધણું બધું ગુમાવ્યા બરાબર છે.મરીઝની અનેક ગઝલો છે.

મરીઝની એક ગઝલ અહી મુકી છે.

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી…..!!!!



#મરીઝ

Gujarati Tribute by Pandya Ravi : 111594787

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now