કૃષ્ણ ને રાધા જો મળી જાય,
તો ત્યાગ ને પ્રેમ ની વ્યાખ્યા જાણે બદલાય..!!!

સંયોગ નો સંજોગ કાયમ રહે
તો વિરહ નો તલસાટ ક્યારેય ના સમજાય...!!

સપનાઓ ની ચાદર અતૂટ પથરાતી જાય
તો તૂટેલા અરમાનો ની વેદના ક્યારેય ન સમજાય..!!

ચાંદની સમાં પ્રેમ ની શીતળતા સદાય રહે
તો છૂટેલા રુદિયાઓની પ્રીત ક્યારેય ન સમજાય.!

કૃષ્ણ ને રાધા જો મળી જાય
તો ત્યાગ ને પ્રેમ ની વ્યાખ્યા જાણે બદલાય..!!

-Hina modha.

Gujarati Poem by Hina Modha : 111594129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now