અર્થના કુંડાળાંમાં અટવાય છે ,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે .

જે ખરેખર બહારથી દેખાય છે ,
એ કશે ના હોય છે , ના થાય છે

તું કહે છે એટલે માની લઉં ,
તું કહે છે એ હંમેશા થાય છે .

કોણ જાણે શું હવે દઈને જશે ?
આ દશા સુખ - ચેન તો લઈ જાય છે .

આંસુઓએ બેધડક પૂછી લીધું,
એ જ રસ્તે કાં ફરીથી જાય છે ?

બહુ ભરોસો રાખશો ના વાત પર
જિંદગી નામે અહીં અફવા ય છે.

આવવા જેવું જ ન્હોતું અહીં સુધી ,
એ અહીં આવ્યા પછી સમજાય છે .

હું બીજું તો શું કહું એના વિશે ?
ખોટ છે , ને ખોટ તો વરતાય છે .


: હિમલ પંડ્યા

Gujarati Poem by Jignasha Parmar : 111587208

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now