બે આત્માઓ ના મિલનથી એક નવા આત્માનો જન્મ થાય છે.. જીવ ને જીવ ખૂબ જ વ્હાલો લાગે છે... ઈશ્વરે અદભુત પ્રેમમય રચનાઓ કરી છે જે સ્વર્ગ માં પણ કદાચ ના હોય શકે.. દરેકે દરેક જીવમાં ઈશ્વરે "માયા" મૂકી છે ચાહે તે મનુષ્ય હોય કે પશુ પક્ષી કે પ્રાણીઓ હોય... જો આ "માયા" નો મૂકી હોત તો માનવજાત કે આ સૃષ્ટિનો આટલો વિકાસ થયો જ ના હોત... જીવન જો બહુજ વિચારશો તો જીવી નહીં શકો ઉપાદીઓ કરી કરી ને અને જો યા હોમ કરી કુદી પડશો તો દિવસો પણ ટૂંકા પડશે.. જીવવા માટે મનુષ્યને સંગાથ જોયે કોઈક ટેકો તો જોયે ભાવભીની આંખો જોઈએ થોડીક આશાઓમાં ઘણું બધું જીવાય જાય છે... જીવન નાની નાની પળો અને ખુશીઓનું બનેલું છે... દરેક અંધકાર પણ આશાઓની કિરણ સાથે લઈ ને જન્મે છે....
#lifeisamazing

Gujarati Blog by parth : 111583774
Kamlesh 3 years ago

સનાતન સત્ય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now