છગન હાથ માં પચેય આંગળી ઓ માં જુદા જુદા ગ્રહો ની વિટી પેહરી ને આવ્યો આ જોતાજ મગને છગન ને પૂછ્યું..
અરે છગન આટલી બધી વિટીઓ આંગળીઓ માં કેમ પેહરી છે..આટલા બધા ગ્રહો તને નડે છે?..
છગન:- હા જો ને હમણાં દિવસો બહુ જ ખરાબ ચાલે છે એટલે જ્યોતિષ એ કીધું કે આંગળીઓ માં આ બધા ગ્રહો ની વીટી પહેરવાથી એક પણ ગ્રહ તમને નહિ નડે અને જીવનમાં સુખ-શાંતિ આવશે...
મગન:-અરે મારો ભાઈ જ્યોતિષનું ચક્કર છોડ મારું માન તું બધાને નડવાનું બંધ કરી દે લોકો સાથે નકામા પંગા લેવાનું છોડી દે એટલે એક પણ ગ્રહ તને નઈ નડે અને જીવનમાં શાંતિ જ રહેશે...
( સાચું કહું તો આ એક સત્ય હકીકત છે અત્યારે માણસ જ માણસ ને નડે છે બાકી કોઈ ગ્રહ આપણ ને નડતા નથી)
#જ્યોતિષ