#લાગણી

"નથી સહન થતું હવે,
મારી લાગણીઓનું થયું હવન હવે;

બળતરા દિલ કરે છે,
ને ભોગ મગજ બને છે;

કાંટા જેવા ઘા માર્યા છે,
તેને મે અંતરમાં છાના રાખ્યા છે;

પારકાને પોતાના જાણ્યા,
એટલે જ તેણે પાછળથી ખેંચી પછાડ્યા;

ન રાખી કોઈને દુભાવવાની વૃતિ,
તે જ બની મારા દુ:ખી થવાની પ્રવૃત્તિ;

પ્રભુ હવે અવતાર આપે તો તારી દુનિયા પ્રમાણે આપજે,
નહિ તો મને આ દુનિયાથી છેટા ભવોભવ રાખજે!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Poem by Jayrajsinh Chavda : 111581910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now