#લાગણી
"નથી સહન થતું હવે,
મારી લાગણીઓનું થયું હવન હવે;
બળતરા દિલ કરે છે,
ને ભોગ મગજ બને છે;
કાંટા જેવા ઘા માર્યા છે,
તેને મે અંતરમાં છાના રાખ્યા છે;
પારકાને પોતાના જાણ્યા,
એટલે જ તેણે પાછળથી ખેંચી પછાડ્યા;
ન રાખી કોઈને દુભાવવાની વૃતિ,
તે જ બની મારા દુ:ખી થવાની પ્રવૃત્તિ;
પ્રભુ હવે અવતાર આપે તો તારી દુનિયા પ્રમાણે આપજે,
નહિ તો મને આ દુનિયાથી છેટા ભવોભવ રાખજે!"
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda