સત્ય ની પરીક્ષા"
સૃષ્ટિ નું સુખ છીનવાઈ ગયું છે,
ક્યારે આવશે વરાહ !,
દુઃખ થી પીડાતા આ પ્રહલાદ ને,
ક્યારે બચાવશે નરસિંહ !,
તારા નામ હજાર છે પ્રભુ,
હવે કામ કરજો એક,
ભક્તો ની ન લો પરીક્ષા હવે,
પરચો બતાવો છેક,
આપે આપેલું વચન ને,
પાળજો તમે નેક,
સત્ય ને થતી હાની ને,
રોકવા લો તમે ટેક. @---કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
-Kaushik Dave