ના લાલસા ઘટાવી શક્યા આ યુધ્ધો,
ના પ્રેમ પ્રસરાવી શક્યા આ યુધ્ધો,
બસ ખૂવારીની માત્રા વધારી શક્યા,
ગરીબી અને ભૂખમરો 'ના' મિટાવી શક્યા આ યુધ્ધો,
શાના માટે આ યુધ્ધો?,
વસુધૈવ કુટુંબકમ એજ છે ઉપાય,
જો..જીવો અને જીવવા દો..,
મંત્ર થી જીવે માનવો,
આ યુધ્ધો પણ ભુલી જાય!,
#યુદ્ધ