#વિધવા
જિંદગીભર જેનો સાથ થાંભી
રાખવાના વચનો આપ્યા હતા
તે આજે સાથ અધૂરો મૂકી ચાલી ગયો
'ને લોકો એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી લીધી....
સાથી ની કમી થી ઉભરી આવે એ સ્ત્રી
'ને ગમ જરા હળવું કરી
પતિ ની યાદો માં ખુશ થતા શીખે તે સ્ત્રી
એ પહેલા તો સમાજે
એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી લીધી....
પરિવાર ની ચિંતા માં ઝઝૂમતી,
જે પ્રયત્ન કરી રહી પોતાને સાચવવાનો
'ને પરિસ્થિતિ સામે જરા લડવા નો
ત્યાં વળી પાછું કોઈક
એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી ગયું....
-પર્લ મહેતા "યાકિ"