#વિધવા



જિંદગીભર જેનો સાથ થાંભી
રાખવાના વચનો આપ્યા હતા
તે આજે સાથ અધૂરો મૂકી ચાલી ગયો
'ને લોકો એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી લીધી....

સાથી ની કમી થી ઉભરી આવે એ સ્ત્રી
'ને ગમ જરા હળવું કરી
પતિ ની યાદો માં ખુશ થતા શીખે તે સ્ત્રી
એ પહેલા તો સમાજે
એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી લીધી....

પરિવાર ની ચિંતા માં ઝઝૂમતી,
જે પ્રયત્ન કરી રહી પોતાને સાચવવાનો
'ને પરિસ્થિતિ સામે જરા લડવા નો
ત્યાં વળી પાછું કોઈક
એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી ગયું....

-પર્લ મહેતા "યાકિ"

Gujarati Poem by Parl Manish Mehta : 111574027
Kalidas Patel 4 years ago

સાચે જ... વિધવા નું લેબલ લગાવી ને... સતત તે દુઃખી સ્ત્રી ને તે પતિ વિહોણી છે તેનો ઢંઢેરો પીટવો કેટલે અંશ યોગ્ય છે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now