🌟
"મનની ગાંઠ"
ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર ૨૪ કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક !
પીધેલા પ્રવાહી પદાર્થને ઉત્સર્ગ તંત્ર ૪ કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક !
શ્વાસ દ્વારા લીધેલી હવા પણ શ્વસનતંત્ર તુરંત જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક !
તો પછી..
અન્ય એ સંભળાવેલ કટુ વચન, કુવિચાર, ગેરવર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ ?
સારાંશ એ જ કે તેને છોડતાં અને કાઢી નાખતાં શીખીએ !
અન્યથા
આ બધુંય આપણાં જીવન માટે પણ ખતરનાક બની શકે.
તેથી મનની શાંતિ માટે પણ..
"મનની ગાંઠ" છોડતાં શીખીએ !