🌟
"મનની ગાંઠ"

ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર ૨૪ કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક !

પીધેલા પ્રવાહી પદાર્થને ઉત્સર્ગ તંત્ર ૪ કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક !

શ્વાસ દ્વારા લીધેલી હવા પણ શ્વસનતંત્ર તુરંત જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક !

તો પછી..
અન્ય એ સંભળાવેલ કટુ વચન, કુવિચાર, ગેરવર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ ?

સારાંશ એ જ કે તેને છોડતાં અને કાઢી નાખતાં શીખીએ !

અન્યથા
આ બધુંય આપણાં જીવન માટે પણ ખતરનાક બની શકે.

તેથી મનની શાંતિ માટે પણ..
"મનની ગાંઠ" છોડતાં શીખીએ !

Gujarati Motivational by અમી વ્યાસ : 111572819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now