*મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અર્જુનને સમજાવે છે*

*કૃષ્ણ:*
*ત્રાજવા પર સંભાળીને ચઢજે*
*પગ બરાબર સંતુલીત રાખજે*
*ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે*

અર્જુન એમને અટકાવી અધિરાઈથી પૂછે છે:
બધું મારે જ કરવાનું?
તો તમે શું કરશો?

*કૃષ્ણ સુંદર જવાબ આપે છે: જે તારાથી ન થાય એ હું કરીશ*

અર્જુન:
એવું શું છે જે મારાથી નહીં થાય?

*કૃષ્ણ:*
*હું પાણીને સ્થિર રાખીશ*

*સારાંશ: આપણે આપણુ કર્મ કરવાનું ભગવાન શું કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે .*

Gujarati Blog by Minal Gosalia Shah : 111571533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now